X


-     જયંત્મુનિજી

સંક્ષિપ્ત પરિચય

        જનસેવામાં પોતાનું સંપૂર્ણ જીવન અર્પિત કરીને બ.બ્ર.પંડિત રત્ન પૂ. જયંત મુનિજી મહારાજ પૂર્વા ભારતમાં માનવજીવનના મસીહા બની ગયા છે.

        ગુજરાત રાજ્યમાં સૌરાસ્ટ્ર વિભાગના- ગીર જંગલ અને પહાડી ભૂમિના અમરેલી જિલ્લાના ગામ હલખનિયામાં, માતાશ્રી અમૃતભાઇ મડિયાની કૂખે દશેરા (વિજયા દશમી) વિ.સં. ૧૯૮૦ના રોજ આ પાવન જ્યોતિ-જયંતમુનિજીના સ્વરૂમાં ઉદયમાન થઈને, પિતાશ્રી જગજીવનભાઈ મડિયાને પૂત્રરત્નની ખુશાલીથી આનંદવિભોર કરી ગઈ.

        જૈન ધર્મ અને જૈન ધરમાં જન્મની સાથે જ સાધુ-સંતોના સમાગમ અને ધર્મની પ્રભાવના બાળપણથી જ ઍક મહત્વનું આકર્ષણ બની ગયા. પિતાશ્રી જગજીવનભાઈની દીક્ષા પછી, જયંતમુનિજીએ ૧૯ વર્ષની જ જૈન ધર્મની ભગવતી દીક્ષા, ગુજરાતનાં મહાન સંત સૌરાસ્ઠ્ર કેસરી પ.પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજના કારકમળોથી અંગીકાર કરી.

        પરિવરમાં બે બહેનોએ પણ ભગવતી દીક્ષા અંગીકાર કરી, જેઓ પૂ. પ્રભાબાઈ મહાસતી અને પૂ. જયાભાઈ મહાસતીના નામે ગોંડલ ગચ્છ સંપ્રદાયમાં પરિચિત છે.

        પૂ. જયંતમુનિજી પોતાના સંસારી પિતાશ્રી મહાન તપસ્વીરાજ જગજીવનજી મહારાજની સાથે કરીને સૌરાસ્ઠ્રથી બનારસ ઉય્ય અભ્યાસ માટે પહોંય્યા. લગભગ ત્રણ વર્ષમાંજ સંસ્કૃત, પ્રકૃત-અર્ધમાગધી અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરીને “પરમ દર્શનિક” ની  પદવી પ્રાપ્ત કરીને આસપાસના છેત્રમાં જૈન ધર્મની પ્રભાવના કરવા પદયાત્રા શરૂ કરી .

        પોતાના ગુરુબંધુ અને પિતાશ્રી પ.પૂ. જગજીવનજ મુનિજીની સાથે ગુજરાત, રાજસ્થાન (મરવાડ), મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, નેપાલ, પશ્ચિમ બંગાળમાં પદયાત્રા કરીને અંદાજે – ૮૦,૦૦૦ માઈલ (૧,૨૫,૦૦૦ કી.મી.) વિહાર કરીને વિભિન્ન ગામોમાં જૈન ધર્મની ફટકા લહેરાવી.

        મોટા શહેરોમાં શ્રી સંઘોની સ્થાપના કરી. ધણી સંસ્થાઓને તેમનો સાંભાળી. પૂર્વ ભારતમાં ૪૦ સ્થાનક તથા ૧૫ સંસ્થાઓને તેઓ કર્ણધાર રહ્યા.

        તપસ્વીરાજ પ.પૂ. જગજીવનજી મુનીના સંથારા સમયે તેમનો પૂર્ણ સહયોગથી અને ધર્મની ધારવર ઍક સલેખના વ્રતનું આયોજન કરી જૈન શાસનના ઈતિહાસમાં પૂ. શ્રી જગજીવંજી મહારરાજનું નામ અજર-અમર પદ પર આરોહિત કરવાનો શ્રેય પ્રાપ્ત કર્યો.

        ભગવાન મહાવીરની પુણ્યભૂમિ બિહારના રાજગૃહિ ક્ષેત્રના ત્રીજા પહાડની તળેટીમાં પ.પૂ. જગજીવનજી મહારાજે સંથારો પૂર્ણ કરીને વિ.સં. ૨૦૨૦૪માં મોક્ષ પ્રાપ્ત કર્યું.

        પ.પૂ. તપસ્વી જગજીવનજી મહારાજની પ્રેરણા અને આદેશથી પૂ. જયન્ત્મુનિજી પોતાનું જીવન જનસેવામાં અર્પણ કર્યું. પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પરહિત સેવાના કાર્યમાં જોડાઈ ગયા. પોતાના સાધુજીવનમાં તેમણો કલકત્તાને-૫, બેલચંપાને-૨૦ અને પેટરબારને-૧૮ યાતુમસીથી લાભન્વિત કર્યો. કડમંડુ અને લુગુ પહાડ જેવા સ્થાનોમાં પણ ચતુરમાસનો લાભ આપ્યો.

        પોતાના સાધુ જીવનમાં તેમણે લોખિતના કાર્યોમાં મુખ્ય ૧૯૮૧માં પેટારવરમાં ચક્ષુ-ચિકિત્સાલયનું આયોજન અને વિશાળ હોસ્પિટલની સ્થાપના કરી જે આજે એક વટ બૃક્ષની જેમ કેલાયા છે.

        તેમનો બાળ-શિક્ષણને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમણો બોકારો, પેટારબાર, રાજગૃહિ, રાજગૃહિ આવાસી વિદ્યાલય,રાજગૃહી મહાવિદ્યાલય અને ગ્રામીણ વિસ્તરમાં વિકાસ વિદ્યાલયનું આયોજન કરીને આદિવાસી, પછાત વિસ્તારો, સૂચિત-અનુસુચિત જનજાતિને આગળ લાવવાનો શ્રેય મેળવ્યો. ઉપરાંત તેમણો આદિવાસીઓ પાસે દારૂ અને માંસના સેવનનો ત્યાગ કરાવીને અહિંસા સંઘની સ્થાપના જૈન ધર્મની પ્રભાવનાને એક જુદો જ રંગ આપ્યો.

        લગભગ ૮૦ નાના-મોટા આંખના કેમ્પોનું આયોજન પેટારબાર-હોસ્પિટલની સ્થાપના પહેલાં થયું. ચક્ષુ ચિકિત્સાલય દ્વારા હજારો નિ:શુલ્ક ઓપરેશન કરાવીને તથા લખો લોકોને ચક્ષુ-ચિકિત્સા કરાવીને જનસેવાનું સર્વોત્તમ કીર્તિમાન સ્થાપિત કર્યું. “પિયુષ ભાઈ બેંક” દ્વારા અનેક લોકોને નેત્ર-રોપણ કરાવીને અંધાપામાંથી મુક્તિ આપવી છે.

શિક્ષણ અને નેત્રાદાન સિવાય તેમણો અન્ન્ચેતમાં “શ્રી જલારામ એન છેત્ર (બાલભોજન)”, હંત-તબીબી સેવા માટે “શાંતબેન હંત વિભાગ, શીક્ષણદાનમાં “પુષ્પાદેવી સ્કોલરશીપ ફ્ંડ” અને “પ્રાંગુરુ વિદ્યાવર્ધન કોષ” નું નિર્માણ કરવ્યું. છાત્ર-છત્રાઑ માટે નિ:શુલ્ક પુસ્તકો અને સાધન-સુશીલ શિક્ષણ સહાયતા દ્વારા ઉપલબ્ધ કરાવ્યા. પછાત આદિવાસી ગરીબ બાળકો માટે,અંબાબેન સુખડી વિતરણ કેન્દ્ર” ચાલુ કરાવ્યું. સંક્રામક રોગ માટે બે તબીબી સહાયના સાથે એમ્બુલન્સ ચાલુ કરાવી. ગામડાઓમાં જઇને નિ:શુલ્ક દવા , કપડાં, અનાજ, તેલ, ખાંડ, શિયાળમાં સ્વેટર, શાલ અને ધાબળાનું વિતરણ આજે પણ ચાલુ છે.

        તેમનો પછાત વર્ગોને લગ્ન જેવા પ્રસંગોમાં પણ સહાયતા કરી છે. અરિહંત શરણ પામનારના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી છે. આમ મનુષ્ય-પ્રાણીના સેવાધર્મ નારાને બુલંદ કરાવીને તેમણો પોતાના જીવન સમર્પણ યથાર્થ કર્યું છે.

        જૈન ધર્મના ગોંડલગચ્છ સંપ્રદાયના સંત શિરોમણી, નેત્ર-જ્યોતિ પ્રદાતા, પરમ દર્શનિક પંડિત રત્ન , મહાજ્ઞાની ગુરુદેવ બ.બ્રા.પ.પૂ. જયંતમુનિજી મહારાજે, પેટારવાર ક્ષેત્રને પૃથ્વીના માનયિત્રમાં ઉચ્ચ સ્થાન પર અંકિત કરીને, ભગવાન મહાવીરની પુણ્યભુમિ વિહારમાં નવા તીર્થક્ષેત્રનું નામ પ્રતિષ્ટિત કર્યું છે.